ઠગાઇ વિશ્વાસઘાતમાં ગયેલ પુરેપુરી રકમ ૨૮ લાખ અરજદારશ્રીને પરત કરી “તેરા તુજકો અર્પણ” સુત્ર સાર્થક કરતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ લોકોને લાલચ આપનાર આરોપીઓનો જે લોકો ભોગ બનેલ હોય તેઓ ભોગબનનારની તાત્કાલિક ફરીયાદ લઇ આરોપી પકડવા તેમજ આવા ગુનાઓ બનતા અટકાવવા માટે અને ઠગાઇમાં ગયેલ મુદ્દામાલ પરત કરાવવા તમામ પ્રયત્નો કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

ગઈ તા.૨૪/૧૨/૨૦૨૫ ના રોજ ફરીયાદીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજનો સંપર્ક કરી અને પોતાની ફરીયાદ હકીકત જણાવેલ કે, આરોપીઓ (૧) રીયાઝ શેખ જેનું સાચુ નામ હુશેન ઉર્ફે ભાભા ત્રાયા (૨) ભાવેશ સોની જેનું સાચુ નામ સલમાન ગુલામશા સૈયદ તથા (૩) અંકુર જોષી રહે. ભુજ વાળાઓએ એકસંપ થઈ ગુન્હાહિત કાવતરૂ રચી બજાર ભાવ કરતા સસ્તુ સોનુ આપવાની લાલચ આપી ફરીયાદી પાસેથી રૂપીયા ૨૮,૦૦,૦૦૦/- મેળવી ફરીને આજદીન સુધી તે રૂપીયાનું સોનું કે તે રૂપીયા પરત ન આપી ઠગાઈ વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલ જે આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠીનાઓએ પોતાના રૂબરૂની ફરીયાદ લઇ અને ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૧૨૯૪/૨૦૨૫ આઇ.પી.સી. એકટ ની કલમ- ૪૦૬,૪૧૯,૪૨૦,૧૨૦(બી),૩૪ મુજબનો ગુનો ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ દાખલ કરાવી આગળની તપાસ સંભાળેલ.

જે ગુનાની તપાસ દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉપરોક્ત આરોપીઓ પાસેથી કુલ્લ રૂ.૨૮,૦૦,૦૦૦/- ઠગાઇ વિશ્વાસઘાત કરી લીધેલ પુરેપુરી રકમ કબ્જે કરવામાં આવેલ અને નામ. કોર્ટ ભુજના હુકમ અન્વયે આજ રોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા જે.બી.જાદવ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાઓ દ્વારા અરજદારશ્રી નિત્યાનંદ ઉપાધ્યાય રહે.બ્યાવર, રાજસ્થાન વાળાને બોલાવી ઠગાઇ વિશ્વાસઘાતમાં ગયેલ પુરેપુરી રકમ કુલ્લે રૂ.૨૮,૦૦,૦૦૦/- પરત કરી “તેરા તુજકો અર્પણ” સુત્ર સાર્થક કરેલ ७.