શુક્રવારે 21મી જૂને કચ્છ યોગમાં લીન થશે. આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી માટે વહીવટી તંત્ર દ્વારા ઘડાયેલા આયોજન મુજબ 2410 સ્થળોએ 4.70 લાખ લોકો યોગ કરી શકે તેવું આયોજન ઘડી કઢાયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી સંયુકત રાષ્ટ્ર સંઘે તા. 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિન જાહેર કર્યો છે.