દિલ્હીના કાલિંદી કુંજ મેટ્રો સ્ટેશન પાસે ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ
દિલ્હીના કાલિંદી કુંજ મેટ્રો સ્ટેશનની પાસે ફર્નિચર માર્કેટમાં ભીષણ આગી લાગી છે. ફાયર બ્રિગેડની 17 ગાડીઓ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. દિલ્હીના ફાયર સર્વિસના ડિરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે, આગ સવારે 5.55 વાગ્યે લાગી હતી. ફાયર બ્રિગેડની 17 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી કોઇ જાનહાનિ થયા હોવાના એહવાલ પ્રાપ્ત થયા નથી.
જસોલા વિહાર અને શાહીન બાગ રૂટ પર ચાલતી મજેન્ટ લાઇનની મેટ્રો રેલને રોકવામાં આવી છે. આગ પર કાબૂ મેળવ્યા બાદ જ ટ્રેનને ફરી શરૂ કરવામાં આવશે. દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, બોટનિકસ ગાર્ડનથી મજેન્ટા લાઇનનો ઉપયોગ કરનારા યાત્રીઓ બ્લૂ લાઇનનો ઉપયોગ કરે.