ગાંધીધામ અંતર જાળ તરફ જતા રસ્તા પર બાવળીયા માં મળી લાસ

આદિપુર તા.મુન્દ્રા સકલથી અંતરજાળ તરફ જતા માર્ગે બાવળની ઝાડીમાંથી લોહી લુહાણ
હાલતમાં યુવાન મળી આવતા હોસ્પિટલ ખસેડાયો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આજે બપોરના અંતરજાળ જતા રસ્તા ઉપર બાવળની ઝાડીમાંથી લોહી
નિતરતી હાલતમાં આશરે રપ વર્ષિય અજાણ્યો યુવાન મળી આવતા ૧૦૮ દ્વારા પ્રથમ સારવાર રામબાગમાં
લઈ વધુ સારવાર માટે ભુજ જી.કે.માં રીફર કરી દીધો હતો. યુવાનને કોઈએ માર માર્યો હશે કે એકસીડેન્ટમાં
ઈજા થઈ હશે તે તો ભાનમાં આવેથી તેની પુછપરછ બાદ જ સપાટી ઉપર આવી શકે. આદિપુર પોલીસે
જાણવા જોગ દાખલ કરી તપાસ હાથ ધરેલાનું પીએસઓ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *