આદિપુરમાં 52 વર્ષીય આધેડે કર્યો આપઘાત
copy image

આદિપુરમાં 52 વર્ષીય આધેડે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આદિપુરમાં રહેનાર હરેશ ફેલાજમલ ધામાણી (ઉ.વ. 52) નામના આધેડ ગત દિવસે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો લઈ આપઘાત કરી લીધો હતો. હતભાગીએ કયા કારણોસાર આ પગલું ભર્યું હસે તે સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.