ગાંધીધામના ચુડવાના સીમમાં 20 વર્ષીય યુવાનનો આપઘાત
copy image

ગાંધીધામ ખાતે આવેલ ચુડવાના સીમ વિસ્તારમાં પ્લોટમાં રહેનાર 20 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ચુડવાના સીમ વિસ્તારમાં આરીફભાઈના પ્લોટમાં રહેનાર અખિલેશ જયાહીર કુશવાહા નામનો યુવાન ગત તા. 26/1ના રાત્રીના પોતાના રૂમ ઉપર હતો. તે સમયે કોઈ અકળ કારણોસર તેને ગળેફાંસો ખાઈ પોતાના જીવનનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.