ભુજ: ટ્રેનની અડફેટે આવી જવાથી નખત્રાણા તાલુકાના ભડલીના દંપતીનું મોત

ભુજના નાગોર ફાટક પાસે ગત મધ્યરાત્રીના ટ્રેનની અડફેટે આવી જવાથી નખત્રાણા તાલુકાના ભડલીના દંપતીનું મોત થયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ , ગત મધ્યરાત્રીના ભુજના નાગોર ફાટક પાસે આ બનાવ બનવા પામ્યો હતો.નખત્રાણાના ભડલી ગામના બાબુલાલભાઈ મૂળજીભાઈ છાભૈયા અને તેમના પત્ની કલ્પનાબેન છાભૈયા રેલવે ફાટક પાસે ટ્રેન અડફેટે આવી જવાથી તેઓ મોતને ભેટ્યા હતા. ટ્રેન નીચે આવી જવાથી તેમના શરીરના અંગો ક્ષતવિક્ષત થઈ ગયા હતા બનાવ આત્મહત્યાનો છે કે આકસ્મિક બન્યો તે અંગે ગાંધીધામ રેલવે પોલીસે તપાસ આરંભી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *