મુંદ્રાના સિરાચામાં અદાણી લેબર કોલોનીમાં 24 વર્ષીય શ્રમિક યુવાનનો આપઘાત
copy image

મુંદ્રા ખાતે આવેલ સિરાચામાં અદાણી લેબર કોલોનીમાં 24 વર્ષીય શ્રમિક યુવાનએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, અદાણી લેબર કોલોનીમાં રહેતા નીરજકુમાર મહેતાએ તા. 17/2ના રોજ કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.