WHOએ જોહાનિસબર્ગ જતી ફ્લાઇટના 88 મુસાફરોની શોધખોળ શરૂ કરી.
copy image

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ તાજેતરમાં એક ગંભીર સ્વાસ્થ્ય ચેતવણી જાહેર કરી છે. સેન્ટ હેલેનાથી જોહાનિસબર્ગ જતી ફ્લાઇટમાં હંટાવાયરસ ના કારણે બે મુસાફરોના મોત થયા બાદ, તે ફ્લાઇટમાં સવાર અન્ય 88 મુસાફરોની શોધખોળ અને ટ્રેસિંગ શરૂ કરવામાં આવ્યું છે.
ઘટનાની પૃષ્ઠભૂમિ
- મુખ્ય કારણ: એક ડચ દંપતિ જે ‘MV Hondius’ નામની લક્ઝરી ક્રૂઝ શિપ પર મુસાફરી કરી રહ્યું હતું, તેઓ આ વાયરસના સંપર્કમાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત નિપજ્યા છે.WHO ને આશંકા છે કે ફ્લાઇટ દરમિયાન અન્ય મુસાફરો પણ આ વાયરસના સંપર્કમાં આવ્યા હોઈ શકે છે.
ફ્લાઇટ અને ક્રૂઝ શિપની સ્થિતિ
- એરલાઇન વિગત: દક્ષિણ આફ્રિકાની ‘એરલિંક’ (Airlink) ફ્લાઇટમાં 82 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો હાજર હતા.
- ક્રૂઝ શિપ (MV Hondius): આ શિપમાં 23 દેશોના આશરે 88 મુસાફરો અને 59 ક્રૂ સભ્યો હતા. વાયરસના ફેલાવાને કારણે કેપ વર્ડેમાં આ શિપને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો, પરંતુ બાદમાં સ્પેનના કેનેરી આઇલેન્ડ્સમાં તેને ડોક કરવાની મંજૂરી અપાઈ છે.
સામાન્ય રીતે આ વાયરસ ઉંદર જેવા પ્રાણીઓના મળ, મૂત્ર કે લાળના સંપર્કથી ફેલાય છે, પરંતુ આ કિસ્સામાં માનવથી માનવ સંક્રમણ ની આશંકાને કારણે ચિંતા વધી છે.
મુખ્ય લક્ષણો: તીવ્ર તાવ અને માથાનો દુખાવો. શ્વાસ લેવામાં તકલીફ. સ્નાયુઓમાં દુખાવો અને ઉલ્ટી.
વર્તમાન સ્થિતિ
- અત્યાર સુધી આ આઉટબ્રેકમાં 3 લોકોના મોત થયા છે (ડચ દંપતિ અને એક જર્મન નાગરિક).જોહાનિસબર્ગમાં એક દર્દી હજુ પણ ગંભીર હાલતમાં છે. WHO એ તમામ મુસાફરોને તાત્કાલિક તબીબી તપાસ કરાવવા અને લક્ષણો જણાય તો આઇસોલેટ થવાની સૂચના આપી છે.