Breaking News : જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામા બહાર પડાયા કચેરીની 100 મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ મંડળી બનાવી રેલી,સરઘસ કે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા પર મનાઇ
જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર આ પગલા લેવાયા હોવાનો દાવો કરાયો છે.ભુજના જિલ્લા સેવાસદન, મધ્યસ્થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્લાના નલિયા, દયાપર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે સદર જિલ્લા/મધ્યસ્થ/તાલુકા સેવાસદનના પરિસરની 100 મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ મંડળી બનાવી રેલી, સરઘસ કે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા પર મનાઇ ફરમાવેલ છે. ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-37(3) થી સતાની રૂએ જિલ્લા કલેક્ટરે આ જાહેરનામું બહાર પાડ્યું છે. જેનો અમલ તા.7/8/2019 સુધીની મુદત માટેનો રહેશે. તેમજ અનધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકી સાથે કોઇપણ જગ્યાએ ભેગા થવા, કોઇ મંડળી બનાવી રેલી, સરઘસ, દેખાવો કરવા, કાઢવા કે રેલી સ્વરૂપે એકઠા થઇને આવેદનપત્ર આપવા પર મનાઇ ફરમાવી છે. જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઇપણ વ્યક્તિ અધિનિયમની કલમ-135ની પેટા કલમ-3 તથા ભારતીય દંડ સહિતા 1860ના પ્રકરણ-10 ની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.