ગાંધીધામમાં પરિણીતાએ કરી આત્મહત્યા
copy image

ગાંધીધામમાં પરિણીતાએ પોતાના જીવન સાથે ખિલવાડ કરી હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગાંધીધામના સેક્ટર પાંચમાં ગત રાત્રિના સમયે હતભાગી પરિણીતાએ કોઈ અકળ કારણોસાર ગળેફાંસો લઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવમાં સાત વર્ષના બાળકે માતાની છત્રછાયા ગુમાવી હતી. આ બનાવ મામલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી આદરી છે.