નખત્રાણા તાલુકાનાં જાડાય ગામે મંદિર ઉપર વીજળી ત્રાટકતા શિખર ખંડિત થયું

કચ્છમાં મેઘ મહેર ચાલુ રહી છે. ભાદરવામાં પણ ધૂંવાધાર બેટિંગ કરતા મેઘરાજાએ વરસી રયા છે અને પાણી પાણી કરી નાખ્યું છે તો,નખત્રાણા માં ભલે વરસાદ પડ્યો પણ આજે બપોરે અરસામાં આ દુર્ઘટના ઘટી હતી જાડાય ગામે આજે વીજળીના ગડગડાટ અને કડાકા ભડાકાએ લોકોને ડરાવી દીધા હતા. આકાશમાં ચમકારા સાથે લબકારા લેતી વીજળીએ ભય અને ઉચાટ સર્જ્યો હતો. નખત્રાણા તાલુકાના જાડાય ગામે પાબુદાદા ના મંદિર ઉપર વીજળી પડતાં શિખર ખંડિત થયું હતું અને મંદિર ને પાવર સપ્લાય આપતો ઈલેક્ટ્રીક વાયર ના ટુકડા થઈ ગયા હતા,સદભાગ્યે કોઈ મોટી જાનહાની ટળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *