અંજાર મધ્યે શ્રી પંચદેવ ધામ મંદિરના સતસંગ હોલ અને પ્રવેસ દ્વારનું લોકાર્પણ કરાયું

શ્રી પંચદેવ ધામ મંદિરના પ્રાંગણમા તારીખ 2-9-2019 ના રોજ સતસંગ હોલ અને પ્રવેસ દ્વારના લોકાર્પણ સાથે વાર્ષીક મહોત્સવ” ની ઉજવણી નિમિત્તે પધારેલા સન્માનિત સંતો મહંતો શ્રી ત્રિકમદાસજી મહારાજ, સચ્ચીદાનંદ મંદિર, કુંવર સાહેબ શ્રી ઇન્દ્રજીતસિહ જુવાનસિહ જાડેજા, પ્રખર વિદ્વાન કથાકાર શ્રી ભીમસેન ભાઈ જોષી, મોટા ભાડીયા, અંજાર તાલુકા બ્રાહ્મણ સમાજ ના પ્રમુખ શ્રી જગદીશ ભાઈ વ્યાસ, ઉપપ્રમુખ શ્રી હીરાલાલ ભાઈ ગોર શ્રી પંચદેવ ધામ મંદિર પ્રમુખ શ્રી નટુભાઈ ગામોટ મત્રી શ્રી મણિલાલ ભાઈ પટેલ અનેક ભગત જનો ની હાજરી સમસ્ત કાર્યક્રમ નુ સંચાલન શ્રી પ્રદીપ ભાઈ ગઢવી લોકસાહિત્યકાર અંજાર વાળા એ કરેલ શ્રી પંચદેવ ધામ મંદિર 9-વર્ષ પુરા કરી દશ વર્ષ મા પ્રવેસ કરી રહ્યા છે છેલ્લા નવ વર્ષ થી આ જગ્યા એ માનવ સેવા, જનાવરો,ને ચારો પાણી ચબુતરો, પંખીઓને ચણ નાખવામાં આવે છે દર શનિવારે નાના બાળકો માટે પ્રસાદ રોજ પૂજાપાઠ આરતી સહીતના ધાર્મીક ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યા આ સહુ ના સહયોગથી કરવામાં આવે છે જેમાં દાતાઓ ની સેવા આવકાર્યા છે રોજ હજારો શ્રદ્ધાળુઓ અહીં આવી ને માથુ ટેકવે છે અને પંચદેવ ધામ મંદિર ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે આમ આ જગ્યા એ અનેક સેવાકાર્ય પણ થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *