ગાંધીધામ તાલુકાના ખારીરોહર મા રાત્રિના એક વાગ્યાના અરસામાં અગાઉના ઝઘડાનું મનદુખ રાખી પાંચ શખ્સોએ સશસ્ત્ર હુમલો કરી આધેડની હત્યા નીપજાવી હતી જ્યારે એક ને જીવલેણ ઈજા પહોચાડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પોલીસે પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોધી એક સખસ ને ઝડપી પાડ્યો હતો ગાંધીધામ બી ડિવિઝન પોલીસ વિગતો આપતા જણાવ્યું હતું કે ખારી રોહર માં રાત્રીના 1 વાગ્યા અરસામાં અગાઉના ઝઘડાનું મનદુખ રાખી હુસેન મામદ જંગીયા ઉંમર વર્ષ 60 ઉપર હમીદ સીદીક પઠાણ અબુ સિદ્દીક પઠાણ જુસબ સીદીક પઠાણ અને તેના બે બનેવીઓએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો જેમાં હુસેન મામદ જંગીયા ને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર તેમજ ગુપ્તીથી હુમલો કરતાં ગંભીર હાલતમાં તેમનું મોત થયું હતું આરોપીઓએ હુસેન ભાઈની હત્યા નિપજાવી સાહેદ ને પણ જીવલેણ ઈજાઓ પહહોચાડી હતી તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે ઈકબાલ મામદ જંગીયા નોધાવેલી ફરિયાદના આધારે પોલીસે પાંચેય શખ્સો સામે ગુનો નાેંધી તપાસ શરુ કરી હતી દરમિયાન હમીદ સીદીક પઠાણ ને ઝડપી પાડયો છે અનય શખ્સોને રાઉન્ડઅપ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે હાલ તો પોલીસે ગુનો નોધી અન્ય નાસતા-ફરતા અત્યારે આવોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે