PM નરેન્દ્ર મોદીએ જન્મદિવસ પર માતા હિરાબાને મળી આશિર્વાદ લીધા


ગાંધીનગર, તા. 17 સપ્ટેમ્બર 2019, મંગળવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે નર્મદા સરદાર સરોવર ડેમની મુલાકાત લઈને માતા હિરાબાના આશિર્વાદ મેળવવા રાયસણ ખાતે પહોંચ્યા છે. હિરાબા ગાંધીનગરમાં જ વડાપ્રધાનના ભાઇ પંકજ મોદી સાથે રાયસણ ખાતે રહે છે.

જન્મદિવસ નિમિત્તે ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી મોદી માતા હિરાબાને મળવા માટે પહોંચ્યા હતા. આ પહેલા વાત હતી કે સવારમાં જ પ્રધાનમંત્રી પોતાની માતા હિરાબાને મળશે, પરંતુ વ્યસ્ત કાર્યક્રમને લઈને પ્રધાનમંત્રી બપોર બાદ માતા હિરાબાને મળવા માટે પહોંચ્યા હતા. પોતાના જન્મદિવસ પર તેઓ અચૂક માતા હિરાબાને મળે છે.
