માંડવીના ભોજાય ગામે ધાર્મિક સ્થાન નજીક લઘુશંકા કરવાના મુદ્દે ફરિયાદ

માંડવી તાલુકાના ભોજાય ગામે મસ્જિદના ઓટલા ઉપર લદ્યુશંકા કરવા બદલ ધાર્મિક લાગણી દુભાવવાની પોલીસ ફરિયાદ કરાઈ છે. હુસેન ઉંમર લંદ્યા નામના ફરિયાદીએ ગામના જ રહેવાસી ભીમજી કેશા સંદ્યાર સામે સમજાવટ છતાંયે માન્યા વગર મસ્જિદના ઓટલા ઉપર પેશાબ કરવા બદલ ફરિયાદ કરી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ ભીમજી સંદ્યારને અકિલા તેના ભત્રીજા દ્વારા તેમ જ ગામના આગેવાનોની મધ્યસ્થી કરીને સમજાવટના પ્રયાસો કર્યા છતાંયે તે નહિ માનતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.