જીવન જરૃરિયાતની તમામ ચીજવસ્તુઓ તેમજ મેડિકલ સેવાઓ સતત મળી રહેશે

કોરોનાની મહામારીને નાથવા સમગ્ર રાષ્ટ્રમાં ગઇકાલ રાત્રિાથી ૨૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનનો સીધો સાદો આૃર્થ એ થાય છે કે, લોકોએ પોતાના ઘરની બહાર નીકળવું નહીં. ભારતનાં વડાપ્રાધાન દ્વારા આખા દેશને આ અપીલ કરવામાં આવી છે. કોરોના વાયરસાથી બચવા સોશિયલ ડીસ્ટન્સીંગ જ એક માત્ર ઉપાય છે. કોરોના વાયરસનાં ચેપનું ચક્ર તોડવા માટે ૨૧ દિવસ મહત્વનાં છે. પોતાના માટે, પોતાના પરિવાર માટે અને સમગ્ર દેશ માટે આ ૨૧ દિવસના લોકડાઉનનો અમલ કરવો જ રહયો. આ લોકડાઉનાથી ગભરાવાની કે નિરાશ થવાની બિલકુલ જરૃર નાથી. લોકોને જીવન જરૃરિયાતની તમામ વસ્તુઓ ઉપલબૃધ કરાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસૃથા કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ લોકોને રોજબરોજની જીવન જરૃરિયાતની વસ્તુઓ જેવી કે, દૂાધ, શાકભાજી, ફળફળાદી, અનાજ, કરિયાણું અવિરત મળતું રહેશે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ જીવનપયોગી વસ્તુઓનાં વેચાણ માટે સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત લોકોને ઘરે ઘરે આ જીવન જરૃરિયાત ચીજો મળી રહે તે માટે વેપારીઓને હોમ ડીલીવરી કરવા પણ કહેવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં દવાની દુકાનો અને મેડિકલ ફેસેલીટી પણ સતત ઉપલબૃધ રહેશે. આ ઉપરાંત બીજી આવશ્યક સેવાઓ જેવી કે, બેંક, વીમા ઓફિસ, એટીએમ ચાલુ રહેશે. તેમજ પેટ્રોલ પંપ, એલપીજી, પાણી પુરવઠો, વીજ ઉત્પાદન અને વિતરણની સેવાઓ ચાલુ રહેશે. લોકોએ પોતાના ઘરમાં જ રહે અને કોઇપણ જાતની અફવાઓ અને અંધ વિશ્વાસાથી બચે લોકો દુકાનો પર જયારે જીવન જરૃરિયાત વસ્તુઓ જયારે ત્યારે અંતર જાળવે અને દુકાનો પર ભીડ ન કરે. જીવનપયોગી તમામ વસ્તુઓ આ લોકડાઉન પીરીયડ દરમ્યાન મળતી જ રહેશે એટલે તેનો જરૃર કરતાં વાધારે સંગ્રહ કરવો નહીં. એવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.