ઉમરસરના ખેડૂત ના ખાતા માંથી 1લાખ ઉપડી ગયા

ઉમરગામના ખેડૂત હમીરજી જાડેજા નું દયાપરમાં આવેલી દેના બેન્ક શાખા માં એકાઉન્ટ છે ખેડૂત બેંકમાં ગયા ત્યારે ખબર પડી કે તારીખ 31 3 ના 20000 અને તારીખ ૬/૪/૨૦૨૦ ના ૮૦ હજાર એમ કુલ એક લાખ રૂપિયા બેન્ક એકાઉન્ટ માંથી ઉતરી ગયા છે ખેડૂત હમીરજી જાડેજાએ દ્વારા પોલીસમાં ઓનલાઇન ઠગાઈ થઈ હોવાની લેખિત અરજી કરી છે પોલીસ દ્વારા વખતો વખત ચેતવણી આપવામાં આવી રહી છે કે બેંકના નામે કોઈ પણ વ્યક્તિ ફોન કરે તો તેમને ઓટીપી અને જરૂરી માહિતી આપવી નહીં તેમ છતાં લોકો દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે જેના પગલે ઠગ સખ્સો દ્વારા બેંક ખાતામાંથી ઓનલાઇન રૂપિયા ઉપાડી લેવામાં આવે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં આવા અનેક બનાવો સામે આવ્યા છે તેવામાં ફરી એક ઉંમસર ગામના ખેડૂતોનો બનાવો સામે આવ્યો છે