આજે કચ્છ થયું કોરોના મુક્ત- પોઝિટિવ દર્દી કમ્પાઉન્ડર મનોજ પટેલનો રિપોર્ટ પણ નેગેટિવ

કચ્છ માટે આજે વધુ એક રાહતના સમાચાર છે. ગઈકાલે રહીમાબેન જતને રજા અપાયા બાદ આજે કોરોના પોઝિટિવના સારવાર લઈ રહેલા દર્દી કમ્પાઉન્ડર મનોજ પટેલનો પણ બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આજે તેને રજા અપાશે એટલે કચ્છ કોરોના મુક્ત થશે. કુલ ૬ માંથી ૧ નું મોત થયા બાદ ૫ દર્દીઓ સારવાર હેઠળ હતા, તે પાંચે પાંચ સ્વસ્થ થઈ ગયા છે. કચ્છના આરોગ્યતંત્ર તેમ જ વહીવટીતંત્રની કામગીરી રંગ લાવી છે. ગઈકાલે ભુજના ૧૩ પત્રકારોના સેમ્પલ લેવાયા હતા. તે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે ગઈકાલના કુલ ૧૯ જણાના સેમ્પલ મોકલાયા હતા, તે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.