ભચાઉ પાસે બાઇક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત એસઆરપી જવાનનું સારવાર દરમ્યાન મોત

ભચાઉ ભુજ હાઇવે ઉપર કબરાઉ ગામ નજીક બાઇક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા એસઆરપી જવાનનું મોત નીપજ્યું હતું. ૪૨ વર્ષીય નારાણસિંહ દિલીપસિંહ જાડેજા ગત તા૨૬/૪ ના બાઇક સ્લીપ થઈ ત્યારે ઇજાગ્રસ્ત થયા હતા. તેમનું એક અઠવાડિયાની સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.