ભારતમાં ૨ સપ્તાહમાં કોરોના વાયરસ ભયંકર રીતે ધૂણશે


દેશમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે તે જોતા આવતા બે સપ્તાહ અત્યંત મહત્વનાઃ છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસ અને મોતમાં ખતરનાક વૃદ્ધિ થઈઃ લોકડાઉન પુરો થયા બાદ એશિયાના દેશોમાં કોરોના ઝડપથી ફેલાશેઃ યુનિ. ઓફ હોંગકોંગના ડોકટરની ભવિષ્યવાણીઃ મેના અંતમાં કોરોના ભારતમાં ચરમસીમાએ હશે
નવી દિલ્હી તા. ૮ : ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં ૨-૫ મેની વચ્ચે જ કોરોના વાયરસના ૧૨,૨૩૫ કેસ પોઝિટિવ આવતા ચિંતા વધી છે. આ ચાર દિવસોમાં જ Covid-19ના કારણે ૪૫૨ લોકોનાં મોત થયા છે. આમ આંકડાની દૃષ્ટીએ જોઈએ તો ૨-૫ મેની વચ્ચે એવરેજ રોજના ૩૦૫૯ કેસ નોંધાયા છે અને ૧૧૩ લોકોનાં અકિલા મોત થયા છે. દેશમાં લગભગ ૫૨,૯૫૨ જેટલા લોકો છેલ્લા ઓફિશિયલ આંકડા મુજબ સંક્રમિત થયા છે અને આ પૈકીના ૧,૭૮૩ લોકોની મોત થઈ ગઈ છે. ૪-૫ મેની વચ્ચે દેશમાં કોવિડ-૧૯ના નવા ૩,૮૭૫ કેસ નોંધાયા છે. આ દરમિયાન ભારતમાં ૧૯૪ લોકોનાં મોત પણ થયા છે. આ એક દિવસમાં સૌથી વધુ મોતનો આંકડો છે. ૨૬-૩૦ એપ્રિલની વચ્ચે કોરોના વાયરસના કેસ ૨૪.૦૮% ટકાની ઝડપે વધ્યા જયારે ૧-૫ મેની વચ્ચે આ ગતિ ૩૪.૦૭ ટકા હતી. આ ચિંતાજનક વાત છે. કારણ કે આ તારીખો દરમિયામ મૃતાંક પણ ૨૮-૩૦ ટકા સુધી પહોંચી ગયો. કોરોના વાયરસના કારણે થયેલી કુલ મોતની સંખ્યા ૨૭% આ દિવસો દરમિયાન થઈ. પાછલા બે અઠવાડિયામાં આ કેસમાં ખૂબ વધારો જોવા મળ્યો હતો. લોકડાઉન-૨ સમાપ્ત થવાના બે દિવસ પહેલાં ૧ મેના રોજ દેશમાં કોરોના વાયરસનાં કેસમાં ૯ ટકાનો વધારો થયો હતો. ત્યારબાદ લોકડાઉન ૩ શરૂ થતા પણ કેસ ૯%ની ગતિએ જ વધ્યા છે. પાછલા થોડાક દિવસોમાં કોરોના વાયરસના કેસમાં અને મોતમાં ખતરનાક વૃદ્ઘી જોવા મળી છે. મુંબઈમાં મંગળવારે ૬૩૫ નવા કેસ નોંધાયા હતા. મુંબઈમાં કોરોના પોઝિટિવ કેસના આંકડા ૯૭૫૮ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે ૩૬માંથી ૩૪ જિલ્લા પ્રભાવિત છે. રાજયમાં દેશા સૌથી વધુ કેસ નોંધાયા છે. ગુજરાતમાં ગુરૂવારના સાંજના કેસની ચર્ચા કરીએ તો આ આંકડો ૩૮૮ છે. હોંગકોંગની યુનિવર્સિટીના રોગચાળાના નિષ્ણાંત ડો. બેન કોવલિંગ કહે છે કે લોકવિદ્યા સમાપ્ત થયા પછી કોવિડ -૧૯ એશિયન દેશોમાં ઝડપથી ફેલાય છે. આનાં બે કારણો છે. પ્રથમ, લોકડાઉન સમાપ્ત થયા પછી લોકો બહાર આવશે અને તે પછી તેઓ એક બીજાના સંપર્કમાં આવશે. બીજું, આંતરરાષ્ટ્રીય અને ઘરેલું મુસાફરો પણ તેમની સાથે વાયરસ ફેલાવી શકે છે. દેશના અર્થતંત્રને પાટા પર લાવવા ભારતે તાળાબંધીના ત્રીજા તબક્કામાં ઘણી છૂટછાટો આપી હતી, જે ૧૭ મે સુધી રહેશે. આમાં દારૂની દુકાનો ખોલવાનો સમાવેશ થાય છે, જેના કારણે સામાજિક અંતર ભારે તૂટેલા જોવા મળ્યા હતા. આ સિવાય કેટલાક વિસ્તારોમાં, ખાનગી કચેરીઓમાં ૩૩% કર્મચારીઓની હાજરીની મંજૂરી આપવામાં આવી છે. હજારો પરપ્રાંતિય મજૂરો અને વિદ્યાર્થીઓને તેમના ગામોમાં લઇ જવા માટે ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. વિદેશથી પણ હજારો લોકોને લાવવામાં આવી રહ્યા છે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આવી ઘણી પ્રવૃત્તિઓની મંજૂરી છે, જે રેડ ઝોનમાં પ્રતિબંધિત છે. છેલ્લા ચાર-પાંચ દિવસમાં અચાનક શું થયું છે? કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું કહેવું છે કે કેટલાક રાજયોએ સોમવારે જૂના આંકડા જાહેર કર્યા હતા. જયારે કેટલાક રાજયોએ કોવિડ -૧૯ કેસ સમયસર રિપોર્ટ કર્યા ન હતા. સમયસર રિપોર્ટિંગ અને કોરોના કેસોનું સંચાલન કરવું જરૂરી છે. પરંતુ કેટલાક રાજયોના રિપોર્ટમાં ગાબડા મળી આવ્યા છે. સતત દબાણ પછી, તે રાજયોએ અહેવાલ પૂર્ણ કર્યો અને કોરોના કેસની સંખ્યામાં અચાનક ઉછાળો આવ્યો. કેટલાક નિષ્ણાતો કહે છે કે કોવિડ -૧૯ ભારતમાં હજી ટોચ પર નથી અને આ કારણોસર અચાનક કોરોના કેસો અને મૃત્યુની સંખ્યામાં વધારો થઈ શકે છે. મિશિગન યુનિવર્સિટીના બાયોસ્ટેટિસ્ટિકસના અધ્યક્ષ પ્રોફેસર ભ્રમર મુખરજી માને છે કે મેના અંતમાં ભારતમાં કોરોના ટોચ પર આવી શકે છે. જોકે, ક્રિશ્યિયન મેડિકલ કોલેજના નિવૃત્ત્। પ્રોફેસર ટી. જેકબ જોનનું માનવું છે કે લોકડાઉનને કારણે કોરોનાનો પીક જૂન-જુલાઈ સુધી મોકૂફ રહી શકે છે.