તળાજા પોલીસ સ્ટેશનના ગેંગ કેસના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરીઓના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી લેવા માટે સખત સુચના આપેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં પાલીતાણા તળેટી ફુવારા પાસે આવતા બાતમીરાહે હકિકત મળેલ કે, તળાજા  પોલીસ સ્ટેશન ના ફસ્ટ ગુ.ર.ન.-૭૮/૨૦૧૯ ઇ.પી.કો ૪૦૧,૪૦૦ ના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી જયંતિ ભુપત પરમાર રહે. ઓમકારનગર પાલીતાણા વાળો પોતાના રહેણાક મકાન ઉપર હોવાની ચકકસ બાતમી મળતા તુરતજ બાતમી વાળી જગ્યા એ આવતા મજકુર બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ સરનામું પુછતા જયંતિ ભાઇ ભુપતભાઇ પરમાર/દેવીપુજક ઉવ.૭૩ રહે. ઓમકારનગર દે.પુ વાસ પાલીતાણા જી.ભાવનગર  વાળા  હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુરને સી.આર. પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી સદર બાબતે તળાજા પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુર.ન. ૭૮/૨૦૧૯ ઇ.પી.કો.-૪૦૧,૪૦૦ વિગેરે મુજબનો ગુન્હો નોઘાયેલ હોય પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનને સોપી આપી તળાજા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ. શ્રી ને જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.  આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગ દર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા જીતેન્દ્રસિંહ ઝાલા તથા તિરૂણસિંહ સરવૈયા તથા કુલદિપસિંહ ગોહિલ તથા શકિતસિંહ સરવૈયા તથા  ડ્રા.હેડ કોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.