માંડવીના નાની ખાખરમાં પત્ની ચાલી જતા ખેતમજુરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

માંડવી : તાલુકાના નાની ખાખર ગામે વાડી વિસ્તારમાં રહેતા મૂળ છોટા ઉદેયપુરના રપ વર્ષિય યુવાને વાડીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવને પગલે માંડવી પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો દર્જ કરાયો છે.માંડવી પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર ચકાભાઈ દિવારભાઈ નાયક (ઉ.વ. રપ) (રહે મૂળ છોટાઉદયપુર, હાલે રહે નાની ખાખર રણજિતસિંહ જાડેજાની વાડીપર)એ વાડીની ઓરડીમાં લોખંડના પાઈપ સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, હતભાગી યુવાનની તેની પત્ની સાથે કામકાજ બાબતે બોલાચાલી થઈ હતી. પતિ- પત્ની વચ્ચેની બોલાચાલી બાદ તેની પત્ની કંઈ પણ કહ્યા વગર કયાંક જતી રહી હતી. જે બાબત મનમાં લાગી આવતા યુવાને આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે માંડવી પીઆઈ બી.એમ. ચૌધરીએ આગળની તપાસ હાથ ધરી છે.