ઉપલેટામાં બાથરૂમમાં પડી જતાં મહિલા નું મોત

રાજકોટ તા. ૧૯: ઉપલેટામાં સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતાં હંસાબેન ભીખુભાઇ સંચારા (ગુર્જર પ્રજાપતિ) (ઉ.૫૫) ગઇકાલે સાંજે ઘરના બાથરૂમમાં લપસી પડતાં માથામાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે સવારે દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનાર હંસાબેનને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. તેમના પતિ જુના દરવાજાનો વેપાર કરે છે. બનાવને પગલે પરિવારમાં શોક છવાઇ ગયો હતો. માલવીયાનગર પોલીસે પ્રાથમિક કાગળો કરી ઉપલેટા પોલીસને જાણ કરી હતી.