ગાંધીધામમાં એકટીવા ચાલક યુવતિનું મોત નીપજયું

ભુજ:ગાંધીધામના ધમધમતા ટાગોર રોડ ઉપર આદિપુરની સેન્ટઝેવિયર્સ સ્કૂલના ટર્ન પાસે થયેલા અકસ્માતમાં આશાસ્પદ યુવતીએ જીવ ગુમાવ્યો હતો. પુરપાટ જતી કારે હડફેટે લેતાં રિયા નારણભાઈ ધનવાણીનું અરેરાટીભર્યું મોત નીપજયું હતું. અકસ્માત સમયે એકિટવા પાછળ બેઠેલા નાના ભાઈને ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ નાસી છૂટેલા કારચાલક વિરુદ્ઘ પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામમાં આર્થિક તંગીથી કંટાળેલા બ્રાહ્મણ પ્રૌઢે જીવ દીધો  સરકારના રાહત પેકેજોની વણઝાર વચ્ચે પણ આર્થિક તંગીથી કંટાળીને આત્મહત્યા કરવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તાજેતરમાં જ ગાંધીધામમાં એક વ્યાપારીએ કરેલા આપઘાતનો આઘાત હજી શમ્યો નથી ત્યાંજ વધુ એક જણે પોતાનો જીવ દઈ દીધો છે. ગાંધીધામના ૪૦૦ કવાર્ટર એસએફએકસમાં રહેતા ૫૯ વર્ષીય બ્રાહ્મણ પ્રૌઢ જીતેન્દ્ર લાભશંકર દવેએ પોતાના ઘેર પંખા ઉપર લટકી જઈ જીવ દઈ દીધો હતો. મૃતકના ભાઈ પરેશ લાભશંકર દવેએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક જાણકારી પ્રમાણે આર્થિક તંગીથી કંટાળેલા પ્રૌઢ જીતેન્દ્રભાઈએ આ પગલું ભર્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.