મોરબીના લાલપરમાં નશો કર્યા પછી રાજેન્દ્ર ભાન ભૂલી: ગળાફાંસો ખાઈ લીધો

રાજકોટ: મોરબીના લાલપરમાં રહેતાં રાજેન્દ્ર બચુભાઇ ડૈયા (ઉ.વ.૩૦) નામના વણકર યુવાને ગાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં પરિવારજનો જોઇ જતાં જીવ બચાવી લઇ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. રાજેન્દ્ર ત્રણ બહેન અને બે ભાઇમાં નાનો છે અને કારખાનામાં મજૂરી કરે છે.  ગઇકાલે તેણે ગળાફાંસો ખાઇ લીધો હતો. મોરબી આયુષ હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ ખસેડાયો છે. પરિવારજનોના કહેવા અનુસાર રાજેન્દ્રને શરાબ પીવાની કુટેવ છે. ગઇકાલે ચિક્કાર પીને આવ્યા બાદ નશામાં આ પગલુ ભરી લીધું હતું. મોરબી તાલુકા પોલીસે જરૂરી તપાસ કરી હતી.