પાતાળિયા હનુમાન મંદિરને તસ્કરે અભડાવતાં ભારે ચકચાર પ્રસરી


ગાંધીધામ: અંજાર તાલુકાના વીરા ખાતે આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિરમાં’ થયેલી તસ્કરનો બનાવ હજુ તાજો જ છે ત્યાં ગાંધીધામ તાલુકાના અંતરજાળમાં આવેલા પ્રસિદ્ધ પાતળિયા હનુમાન મંદિરને તસ્કરોએ અભડાવતાં ભારે ચકચાર પામી છે. આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. બીજી બાજુ રાપર તાલુકાના સેલારી વાડી વિસ્તારમાં’ ચોર મોબાઈલ ફોન તફડાવી ગયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર પાતળિયા હનુમાન મંદિરમાં કોઈ તસ્કર હરામખોરોએ મંદિરના દરવાજાનું તાળું તોડી’ મૂર્તિ ઉપર’ પેહરાવેલાં દાગીના મુગટ, કાનના કુંડળ, છત્રી’ અને ચાંદીના નેણની તસ્કરી કરી હતી. સવારે પાંચ વાગ્યે પૂજારી મંદિરમાં આવ્યા’ ત્યારે ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. મંદિર પરિસરમાં તપાસ કરતાં પંચધાતુના મુગટ, કાનના કુંડળ, છત્રી મંદિરના પાછળના ભાગે બાથરૂમ પાસે ફેંકી દીધેલા મળી આવ્યા હતા. મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તપાસ કરતાં બે જણે તસ્કરી કરી હોવાનું જણાય છે. રાત્રિના એક વાગ્યાના અરસામાં’ તસ્કરે તસ્કરી કરી તમામ દાગીના બીજા શખ્સને આપતો કેમેરામાં નજરે પડયો હતો. બનાવની જાણ થતાં આદિપુર પોલીસ’ કાફલાએ ઘટનાસ્થળે જઈ તપાસનો ધમધમાટ આદર્યો હતો. પોલીસે મંદિરના ટ્રસ્ટી શંભુભાઈ જગુભાઈ મ્યાત્રાની ફરિયાદના આધારે ગુનો નોંધી’ વધુ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ રાપર તાલુકાના સેલારી ગામના વાડી વિસ્તારમાં તસ્કરીનો બનાવ ગત તા. 21ના રાત્રિ વચ્ચે બન્યો હતો. ફરિયાદી કાનજી નામોરી આહીરના મકાનમાં છત ઉપર સૂતા હતા.કોઈ અજાણ્યા તસ્કર છત ઉપર આવી ખાટલામાં પડેલો મોબાઈલ’ ફોન તફડાવી ગયો હતે. ચોરાઉ ફોનની કિંમત રૂા. 8,500 આંકવામાં આવી છે.”