જામનગરમાં રહેતી પરિણીતાનો ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

જામનગર શહેરના તિરૂપતિ પાર્ક પાસે રહેતી એક પરણિતાએ ગઈકાલના રોજ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેના એકાએક આપઘાતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના તિરૂપતિ પાર્ક પાસે સાઈપાર્ક શેરી નં-5માં રહેતા મંજુબેન સચિનકુમાર રાજપૂત ઉ.વ.26 નામની પરણિતા ગઈકાલના રોજ પોતાના ઘરે હતી ત્યારે મકાનની છતમાં દોરી બાંધી ટીશર્ટ વડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગે તેમના પતિ સચિનકુમારે સીટી સી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.