રાપર તાલુકાનાં પલાંસવા ગામની પાસે માદા ઘૂડખરનો મૃતદેહ મળ્યો.

રાપર : રાપર તાલુકાનાં પલાંસવા ગામની દૂર ખેતર વિસ્તારમાં ઘૂડખરનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં વન વિભાગ તેમજ પશુપાલન વિભાગના સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જો કે ઘૂડખરનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું હતું. આ અંગેની વિગતો મુજબ પલાંસવા ગામે અંદાજે ૭ કી.મી. દૂર ખેતરમાં માદા ઘૂડખર મૃતદેહ મળી આવ્યું હતું. બનાવની જાણ સ્થાનિકો દ્વારા આડેસર આર.એફ.ઓ. એમ.એમ. કુરેશી,રાપર પશુ ચિકિત્સક અશ્વિન આર.પટેલને  કરતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.આ બાબતે પશુ ચિકિત્સક અશ્વિન પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યુ હતું કે , પલાંસવા ગામ નજીક માદા ઘૂડખરનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘૂડખરનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. જો કે, મૃતદેહની હાલત પી.એમ લાયક નહોય  તેનો અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યો હતો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *