જય શ્રી રામ ના નારા સાથે માંડવી શહેર રામભાવ અને ભગવા રંગમાં રંગાઈ ગયું

બંદરીય શહેર માંડવીમાં આખા શહેરમાં  આજે દિવાળી જેવો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.જ્યારે અયોધ્યામાં રામ મંદિરનો આજે શીલાન્યાશ થઇ રહ્યું છે અને ભવ્યાતિભવ્ય રામનું મંદિર બની રહ્યું છે,ત્યારે બંદરીય નગરી માંડવીમાં નગર યાત્રા કાઢવામાં આવી હતી જે નગર યાત્રા સ્વામિનારાયણ મંદિર થી નીકળી હતી અને ઠેર-ઠેર શહેરના ગલીઓ માર્ગો પર ફરી હતી.જયા દરેક સમાજના આગેવાનો દ્વારા સાધુ સંતો તથા ધારાસભ્ય પર લોકો દ્વારા ફુલ હારથી પુષ્પ વર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.જે નગર યાત્રા સ્વામિનારાયણ મંદિરથી નીકળી સોનાવાળા નાકા,મોટા બગીચા મહીલા બાગ,હવેલી ચોક આઝાદચોક અને સ્વામિનારાયણ મંદિર મધ્યે પુર્ણ થઇ હતી. અને મહીલા બાગ પાસે વિદ્યા ભારતી પરિષદના આચાર્યો દ્વારા સંતો તથા ધારાસભ્યનો ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું તથાં માંડવી શહેર રામ મય જેવો માહોલ જોવા મળ્યો હતો.જેમાં ઉપસ્થિત સ્વામિનારાયણ મંદિરના દેવ પ્રકાશ દાસજી સ્વામિ,પ્રભુ ચરણ દાસજી સ્વામિ,જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામિજી તથા માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા,દેવાંગભાઇ દંવે,કેશવજીભાઈ રોશિયા,સુરેશભાઇ સંગાર,શિલ્પાબેન નાથાણી ધર્મેન્દ્રભાઇ જોષી,મેહુલભાઇ શાહ,અલીભાઇ રોહા,ગીતાબેન ગોર તથા રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.