સોરઠમાં શ્રાવણીયા જુગારની મૌસમ ખીલી ઉઠ્યું: 69 પકડાયા

સોરઠ જિલ્લામાં શ્રાવણીયા જુગારની મૌસમ ખીલી છે. માંગરોળના ખોળાદ્રા-શીલના દીવાસા માંગરોળ માણાવદરનાં જાંબુડા-નરેડીમાં મેરના ઘરે ધંધુસર,કેશોદનાં કેવદ્રા, મેંદરડાનાં ગુંદાળા, જૂનાગઢના દોલતપરા સહિત કુલ 69 ઇસમો પકડાયા  હતા. બે ભાગી છૂટ્યા હતાં. પોલીસે કુલ 4,47,900ની મત્તા કબ્જે કરી હતી. હાલ શ્રાવણ માસમાં સોરઠ જિલ્લામાં ઠેર ઠેર જૂગારધામ ચાલી રહ્યા છે. રોજબરોજ જુગારીઓને પોલીસ પકડી રહી છે. ગઇકાલે રાત સુધીમાં માંગરોળના ખોળાદા ગામે, માળીયાના જૂથળ ગામેથી ચારને, શીલના દીવાસા ગામેથી ચારને, મેંદરડાનાં ગુંદાળા ગામેથી 10ને, જૂનાગઢ દોલતપરા ખાતેથી બે ઇસમોને, માણાવદરનાં જાંબુડા ગામેથી ચાર શખ્સોને, વંથલીનો રહીશ મેર ધીરુ પુંજા સુત્રેજાના ઘરેથી 4 શખ્સો,વંથલીનાં ધંધુસર ગામેથી 6 શખ્સો, સાંતલપુર(વંથલી) ખાતેથી 10ને અને કેશોદના કેવદ્રા ગામેથી 9 સહિત 69 જુગારીઓને રુપિયા 4, 47,900 સાથે દબોચી લીધા હતા.