પવિત્ર શ્રાવણ મહિનામાં જૂનાગઢ શિવમંદિરમાં તસ્કરી


માલીવાડા જૂનાગઢનો ધમધમતો ગણાતો વિસ્તાર ગણાય છે તેવા વિસ્તારમાંથી કોઇ હરામખોરે પવિત્ર શ્રાવણ માસમાં જ શિવજીના મંદિરમાં ત્રાટકીને ચોરી કરી ગયાની ફરિયાદ ગઇકાલે એ ડીવીઝનમાં નોંધાઈ છે.
આ અંગેની એ ડીવીઝન પોલીસમાંથી મળતી વિગત મુજબ માલીવાડામાં રહેતા પીયુષભાઈ અમૃતલાલ ચાવડા (ઉ.42)નાં ઘરની બાજુમાં આવેલ શિવ મંદિરમાંથી કોઇ તસ્કરે ભગવાન શિવજી ઉપર ચડાવેલ ત્રાંબાનો નાગ, બે પીતળની દીવી, પીતળની આરતી, પીતળનું ત્રિશુલ, રોકડ રકમ સહિત 3500ની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ એ ડીવીઝનમાં પિયુશભાઈ ચાવડાએ નોંધાવતા પીએસઆઇ આરર.જી. મહેતાએ તપાસ હાથ ધરી છે.