અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગી


કોરોના વાયરસના આ કહેર વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના બની છે. આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. હોસ્પિટલના ચોથા માળે આજે વહેલી સવારે આગ લાગી હતી. આ ઘટના સમયે હોસ્પિટલમાં 40 દર્દીઓ સારવાર હેઠળ હતા. જેમાં આઠ લોકો જીવતા ભૂંજાઈ ગયા છે
આલેખન બિવિક