પાલનપુરના સાગ્રોસણા ખાતે પ્રભારી મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના ૭૧માં વન મહોત્સવની ઉજવણી કરાઇ



વધુ વૃક્ષો વાવી બનાસકાંઠા જિલ્લાને લીલોછમ-હરીયાળો બનાવીએ”
–પ્રભારી મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર
(માહિતી બ્યુરો,પાલનપુર)
બનાસકાંઠા જિલ્લાપના પાલનપુર તાલુકાના સાગ્રોસણા ખાતે શ્રી જાળેશ્વર મહાદેવ મંદિરના પટાગણમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લાા કક્ષાના ૭૧ માં વન મહોત્સશવની કોરોનાની ગાઇડલાઇન સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાસંગીક પ્રવચનમાં વૃક્ષોનું મહત્વા સમજાવતાં જણાવ્યુંત કે, વૃક્ષો માણસના જીવનમાં જન્મથી લઇ મૃત્યુ સુધી વિવિધ રીતે સંકળાયેલા છે ત્યારે દરેક વ્યક્તિ વૃક્ષોનું મહત્વ સમજી વૃક્ષો વાવે તે જરૂરી છે. સજીવ સૃષ્ટિીના અસ્તિેત્વર માટે પણ વૃક્ષો હોવા બહુ જરૂરી છે ત્યારે આપણે સૌ સાથે મળી વધુમાં વધુ વૃક્ષો વાવી બનાસકાંઠા જિલ્લાને લીલોછમ-હરીયાળો બનાવીએ. તેમણે જણાવ્યું કે બાળપણમાં ઘોડીયું અને ઘડપણમાં લાકડી થી લઇ અંતિમક્રિયા સુધી માણસને લાકડાની જરૂર પડે છે ત્યારે આપણે દરેકે અમુક વૃક્ષો ઉછેરવાનો નિર્ધાર કરવો જોઇએ. મંત્રીશ્રીએ કહ્યું કે, અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીમાં રક્ષણ મેળવવા માટે આપણે ઘણી બધી ઔષધિઓનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઔષધિય વૃક્ષો પણ જરૂરી છે.
પ્રભારી મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારે કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાિળની સ્થિતિના નિવારણ માટે વૃક્ષોનું વાવતેર કરવું ખુબ જ જરૂરી છે. પર્યાવરણનું જતન કરવાથી નિયમિત સારો વરસાદ આવે છે અને ગ્લોબલ વોર્મિગ જેવી સમસ્યાઓને દૂર કરી શકાય છે. તેમણે જણાવ્યું કે વૃક્ષો ધરતીનો શણગાર અને ઘરેણું છે. વૃક્ષો વિનાની ધરતી ઘરેણાં કે શણગાર વિનાની સ્ત્રી જેવી લાગે છે. તેમણે ઉમેર્યુ કે, પર્યાવરણના જતન માટે જંગલોનો વિસ્તાાર વધારવા અને ઠેરઠેર વિશાળ સંખ્યાેમાં વૃક્ષોનો ઉછેર થાય એ માટે રાજય સરકાર દ્રારા સંગીન પ્રયાસો કરવામાં આવે છે.
મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારે કહ્યું કે ભારતમાં ઇ.સ.૧૯૫૦માં શ્રી કનૈયાલાલ મુન્શીએ વન મહોત્સવની શરૂઆત કરાવી હતી. ભૂતકાળમાં રાજયકક્ષાના વન મહોત્સવની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવતી હતી પરંતુ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રરભાઇ મોદીએ ૨૦૦૪ થી રાજયકક્ષાના વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી રાજયભરમાં વિવિધ જિલ્લાુઓમાં કરવાની શરૂઆત કરતાં પ્રજા હવે ઉત્સાતહભેર આ કાર્યક્રમમાં સામેલ થાય છે. તેમણે કહ્યું કે ગુજરાતને હરીયાળું બનાવવા રાજય સરકાર ધ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેમણે ઉમેર્યુ કે તાજેતરમાં રાજકોટના આજીડેમ નજીક આપણાં લોકપ્રિય મુખ્યઆમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ૭૧માં વન મહોત્સવની શરૂઆત કરાવી છે. આમ રાજયમાં વિવિધ જગ્યાએ ૨૦ જેટલાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ગુજરાત વેરહાઉસીંગ કોર્પોરેશનના ચેરમેનશ્રી મગનલાલ માળીએ પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યુંસ કે, આપણા પુત્ર, પુત્રી અને વડીલોના જન્મદિવસે, પૂણ્યતિથિએ તથા મેરેજ એનીવર્સરી જેવા સારા-નરસા પ્રસંગોએ વૃક્ષો વાવી તે પ્રસંગને કાયમ માટે યાદગાર બનાવવો જોઇએ. તેમણે જણાવ્યું કે ખેડુતો પોતાના ખેતરનાં શેઢે-પાળે વૃક્ષો વાવી તેનાથી પુરક આવક મેળવી શકે છે. તેમણે કહ્યું કે આપણે વૃક્ષો વાવી તેનો ઉછેર કરીશું તો જ સાચા અર્થમાં વન મહોત્સવની ઉજવણી સાર્થક થશે. ચેરમેનશ્રીએ કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણના જતન અને સંવર્ધન કરવાની પ્રેરણાદાયી શરૂઆત કરાવી હતી. જેના લીધે ગુજરાતમાં અનેક સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું છે.
આ પ્રસંગે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના એમ.ડી.શ્રી ર્ડા. કે.એસ.રંધાવાએ જણાવ્યું કે, રાજય સરકારના પ્રયાસોને લીધે વર્ષ-૨૦૦૪થી નોન ફોરેસ્ટ એરીયામાં ૧૦ કરોડ જેટલાં વૃક્ષોનો વધારો થયો છે. તેમણે કહ્યું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક ટીમ બનાવી વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવે તો પર્યાવરણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવશે.
કલેકટરશ્રી સંદીપ સાગલેએ જણાવ્યું કે, પર્યાવરણના વિસ્તારને વધારવા માટે રાજય સરકાર દ્વારા દર વર્ષે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, ક્લાયમેન્ટ ચેન્જના જમાનામાં માણસે વૈશ્વિક મહામારી કોરોનામાંથી ઘણું બધુ શિખવા જેવું છે. પર્યાવરણનું જતન કરવામાં આવશો તો જ આવતીકાલને ઉજ્જવળ બનાવી શકાશે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી વૃક્ષોના રથને પ્રસ્થાન કરાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, નાયબ વન સંરક્ષકશ્રી આર.એલ.જાલંધરા, ઇ.ચા. એ.સી.એફ.શ્રી પી.ડી.ચૌધરી, અગ્રણીઓ સર્વશ્રી ભારતસિંહ ભટેસરીયા, શ્રી લાલજીભાઇ પ્રજાપતિ, શ્રી મોતીભાઇ પટેલ, શ્રી અશ્વિન સક્સેના, શ્રી દિનેશભાઇ પટેલ, શ્રી જયેશભાઇ ચૌધરી, શ્રી ભીખાભાઇ બેરા, શ્રી દલજીભાઇ જુડાલ, શ્રી ભગવાનદાસ ઠક્કર-બંધુ, સાહિત્યકારશ્રી કનુભાઇ આચાર્ય, વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત અગ્રણીઓ, અધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિઆત રહ્યાં હતાં.
ગિરીશ જોષી બનાસકાંઠા