પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિ ની ગુજરાત સરકારે જાહેર રજા કરી જે બદલ મહેશ્વરી સમાજ વતી મયુરભાઈ મહેશ્વરીએ કચ્છ કેર tv ન્યૂઝ નો આભાર વ્યક્ત કર્યો.
મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિની મહેશ્વરી સમાજ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર આંખ આડા કાન કરી રહી હતી. છેવટે મુંદરા તાલુકાનાં ટુન્ડા ગામના યુવાન મયુરભાઈ મહેશ્વરીએ જો સરકાર જાહેર રજા નહીં આપેતો રેલરોકો અને ચક્કાજામની ચીમકી આપી હતી ત્યારે સરકારે જાગૃત થઈને પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની તા.૩.૨.૨૦૧૮ ના મરજીયાત રજા જાહેર કરી આ રજા જાહેર થતાં સમગ્ર મહેશ્વરી સમાજમાં ખુશીની લહેર પસરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં મહેશ્વરી સમાજની આશરે ૫ લાખથી વધારે વસ્તી છે. ભારતના અન્ય રાજ્યોમાં પણ મહેશ્વરી સમાજના લોકો વસવાટ કરે છે. ત્યારે મયુરભાઇ મહેશ્વરીએ આ જાહેર રજાની સરકાર સુધી પહોંચાડવામાં જે કચ્છ કેર tv ન્યૂઝને વાચા આપી તો સરકાર તથા કચ્છ કેર tv ન્યૂઝનું મહેશ્વરી સમાજ વતી મયુરભાઇ મહેશ્વરીએ આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.