તોતણીયાળામાં કેરી નદીમાં કપડા ધોવા ગયેલા માતા-પુત્રનુ ડૂબી જવાથી થયું મોત

જાણ તંત્રને કરવામાં આવતા મામલતદાર સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. NDRFની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરતા પુત્રનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે માતાના મૃતદેહની શોધખોળ ચાલુ છે. શોધખોળ દરમિયાન પુત્રનો મૃતદેહ મળ્યો ઘટનાની વિગત અનુસાર આજે વલ્લભીપુરના તોતણીયાળા ગામમાં રહેતા દક્ષાબેન ભાવેશભાઈ બાવળીયા (ઉં.વ.30) અને વીર ભાવેશભાઈ બાવળીયા (ઉં.વ.8) કેરી નદીમાં કપડા ધોવા માટે ગયા હતા. જે દરમિયાન પગ લપસી જતાં માતા-પુત્ર કેરી નદીમાં ગરકાવ થઈ ગયા હતા અને બંનેના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં વલ્લભીપુર મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ભાવનગરથી NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન પુત્ર વીરનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે માતા દક્ષાબેનના મૃતદેહની શોધખોળ ચાલુ છે.