ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકે રાજીવ કુમારે ચાર્જ સંભાળ્યો


પૂર્વ નાણાં સચિવ રાજીવ કુમારે મંગળવારે ભારતના નવા ચુંટણી કમિશનર તરીકે વિધિવત રીતે પોતનો ચાર્જ સંભાળ્યો છે.રાજીવ કુમારે નવા ચૂંટણી કમિશનર તરીકે નું પદ સંભાડ્યું. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા અને ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રની સાથે ભારતના ચૂંટણી પંચના સભ્ય છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા અને ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા. તે 1984 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી છે. તેમના 36-વર્ષના કાર્યકાળ દરમિયાન, તેમણે કેન્દ્ર અને બિહાર ઝારખંડમાં વિવિધ મંત્રાલયોમાં સેવા આપી છે.નવા ચૂંટણી કમિશનર તરીકે સચિવ રાજીવ કુમારની અશોક લવાસાની જગ્યાએ નિમણૂંક કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિએ પદ સંભાળવાની તારીખથી જ તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી હતી. અશોક લવાસા એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) ના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નવી જવાબદારી સંભાળવા જઇ રહ્યા છે. જેને લઈ રાજીવ કુમારને હવે નવા ચૂંટણી કમિશનર તરીકેનો ચાર્જ સોંપાયો છે. રાજીવ કુમારે, બીએસસી, એલએલબી અને પબ્લિક પોલીસીમાં માસ્ટર કર્યું છે. તેમની પાસે સામાજિક ક્ષેત્ર, પર્યાવરણ-વન, માનવ સંસાધન, નાણાં અને બેન્કિંગ ક્ષેત્રનો બહોળો અનુભવ છે.ચૂંટણી પંચના રિલીઝ મુજબ રાજીવ કુમાર, ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને લોકોમાં પારદર્શિતા અને જાહેર સેવાઓ લાવવા વહીવટી દ્રષ્ટિકોણથી નીતિ પરિવર્તનની તરફેણમાં છે.
રાજીવ કુમારને જાહેર નીતિ અને વહીવટ વિભાગમાંમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે જાહેર નીતિ અને બીએસસી અને એલએલબી સાથે સસ્ટેનેબિલીટીમાં માસ્ટર્સ કર્યુ છે.તેઓ ગત વર્ષે જુલાઈમાં નાણાં સચિવ તરીકે નિયુક્ત થયા હતા અને તેમનો કાર્યકાળ આ વર્ષે ફેબ્રુઆરીમાં સમાપ્ત થયો હતો. તેમજ તેઓ આર્થિક સમાવેશ માટેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાના મુખ્ય ક્ષેત્રોમાં કામ કરવા માટે જાણીતા છે. જેમાં પ્રધાનમંત્રી જન ધન યોજના અને મુદ્રા લોન યોજના જેવી મોટી યોજનાઓ પણ સામેલ છે.