વડોદરામાં પુરના પાણી સાથે મગરોએ દેખા દેતા ગભરાટનો માહોલ

મેઘરાજા મન મૂકી વરશી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યાં છે ત્યારે પૂરના પાણી સાથે મગરો પણ રહેણાંક વિસ્તારમાં દેખા દેવા લાગ્યાં છે જેનાથી ખતરો ઉભો થયો છે. વડોદરા માં એમ.એસ. યુનિવર્સિટીના સી.સી. મહેતા ઓડિટોરિયમ પાછળ નદી માંથી મગર આવતા ભારે ગભરાટ બોલ્યો હતો.વરસાદી કાંસમાં મગર દેખાતા જ યુનિવર્સિટી ના સ્ટાફ માં દહેશત ઉભી થઇ હતી જોકે મગર કાંસમાંથી બહાર નીકળ્યો નહોતો પરિણામે તેને રેસ્ક્યુ કરી શકાયો ન હતો.
વિશ્વામિત્રી નદીમાં પુર આવતા જ પાણી સાથે મગરો બહાર નીકળી આવે છે જેને ધ્યાને લઇ તંત્ર સજાગ બન્યુ છે .