જનધન યોજનામાં હવે ખાતેદારને રૂા. બે લાખનું વીમા કવચ આપવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં દરેક વ્યક્તિ પોતાના બેન્ક ખાતા ધરાવતા હોય તે માટે છ વર્ષ પહેલા શરુ કરાયેલી પ્રધાનમંત્રી જનધન યોજનામાં હવે દરેક સક્રિય ખાતા પર ખાતેદારને વિમા કવચ પણ મળશે. આ યોજનાને છ વર્ષ પૂરા થઇ રહ્યા છે અને તેથી કેન્દ્ર સરકારે ખાસ જાહેરાત કરીને 40 કરોડ જેટલા લોકોએ જનધન ખાતા ખોલાવ્યા હતા તેમાંથી 34.81 કરોડ હાલ એક્ટિવ એકાઉન્ટ છે.આ એક્ટિવ એકાઉન્ટમાં જે લોકોની ઉંમર 18થી 50 વર્ષની છે તેઓને ફક્ત રુા. 330ના પ્રિમીયમમાં રુા. 2 લાખનો વિમો આપવામાં આવશે અને ખાતેદારનું મૃત્યુ થાય તો તે સંજોગોમાં તેના આશ્રિતને આ રકમ ચૂકવવામાં આવશે. વિમાનું પ્રિમીયમ ખાતામાંથી સીધુ કાપવામાં આવશે. આ જ રીતે સુરક્ષા વિમા યોજના કે જે 18 થી 70 વર્ષના લોકો માટે છે તેમને પણ રુા. બે લાખનું વિમા કવચ અને અપંગતા સમયે રુા. એક લાખનું કવચ આપવામાં આવશે. જેનું પ્રિમીયમ ફક્ત રુા. 12 હશે.