ભુજના વોર્ડ નં.૮ ના લોકો ગેરકાયેદસર બનતી દુકાનોથી પરેશાન,લોકોને સુવિધા મળવાને બદલે અસુવિધા ઉભી થાય છે.તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી માંગ.

ભુજ શહેરના વોર્ડ નં. ૮ માં હાઉસીંગ બોર્ડથી નરસિંહ મહેતા સુધીમાં અસંખ્યમાં દુકાનો ગેરકાયેદસર રીતે બનતી જાય છે આ બાબતે અગાઉ પણ બતાવવામાં આવ્યું હતું. કે આ વિસ્તારમાં કેટલી દુકાનો બને છે. અને કેવા ભાડા વસુલી કરે છે. જેથી આવી રીતે ગેરકાયેદસર દુકાનો બનાવી અને અહીં વેપાર ધંધો થતો હોય ત્યાં આ બાબતે સુધારાઈની ભાડાની બંનેની નબળાઈ કહેવાય.અને અંહી લોકોને સુવિધા મળવાને બદલે અસુવિધા ઉભી થાય છે. અને આવી ગેરકાયેદસર દુકાનો બનવાથી લુખ્ખાતત્વોનો પણ ત્રાસ રહ્યો છે. તેવું રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતું.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *