કેન્દ્ર સરકારે વધુ 7 બુલેટ ટ્રેનો દોડાવવાનો નિર્ણયે લીધો

કેન્દ્ર સરકાર, પહેલી બુલેટ ટ્રેનના હજુ કોઈ ઠેકાણા નથી અને તેમાં પણ અનેક અવરોધો ઊભા થયા છે અને બીજી બાજુ દેશમાં આક્રમક બની ગયેલી કોરોનાવાયરસ મહામારીને કારણે દેશનું અર્થતત્રં ખાડે ગયું છે છતાં પણ કેન્દ્ર સરકારના મુંગેરીલાલ ના સપના બધં થતા નથી.

મુંબઈ થી અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન હજુ એક સ્વપન જ છે ત્યાં કેન્દ્ર સરકારે વધુ સાત જેટલી બુલેટ ટ્રેન દોડાવવા માટે ૧૦ ટિ્રલિયન ખર્ચનો અંદાજ બાંધી લીધો છે અને હાસ્યાસ્પદ પ્રોજેકટ બનાવવા માટે વ્યસ્ત છે તેવું સામે  આવ્યું છે.


દેશમાં બેરોજગારી દિવસેને દિવસે વધી રહી છે અને ગરીબ વધુ ગરીબ બની રહ્યા છે તેમ જ કોરોનાવાયરસ મહામારીમાં દરરોજ દુનિયામાં સૌથી વધુ દર્દીઓ ના મોત ભારતમાં થઇ રહ્યા છે અને આવી ભયાનક પરિસ્થિતિ વચ્ચે વધુ સાત બુલેટ ટ્રેન દોડાવવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર ની દાનત અને નિયત પર આશંકાઓ થઈ રહી છે અને દેશની જનતા પ્રત્યે આવા ભયાનક ઓરમાયા વર્તન બદલ તેની આકરી ટિકા પણ થઇ રહી છે.

વધુ સાત જેટલી બુલેટ ટ્રેન દોડાવવા માટે નો જે પ્લાન બનાવવામાં આવ્યો છે તેમાં કેટલાક નવા ટ ની કલ્પના કાગળ ઉપર કરવામાં આવી છે. આ ટ ના નામ પણ સરકારના અંતરગં વર્તુળો દ્રારા જાહેર કરવામાં આવ્યા છે તેમ અંગ્રેજી અખબાર બિઝનેસ સ્ટાન્ડર્ડ ના અહેવાલમાં જણાવાયું છે.

જે નવા સાત ટ નક્કી કરવામાં આવ્યા છે તેમાં દિલ્હી થી વારાણસી, મુંબઈ થી નાગપુર, દિલ્હી થી અમદાવાદ, ચેન્નાઇ થી મૈસૂર, દિલ્હી થી અમૃતસર, મુંબઈ થી હૈદરાબાદ અને વારાણસી થી હાવડા વચ્ચે નો સમાવેશ થાય છે.