આ સ્ટાર ખેલાડીની થઈ વાપસી, ધોનીની ટીમને મળ્યો મોટો હાશકારો


(IPL) 13માં રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ મેચ પહેલા સીએસકેને મોટી રાહત મળી છે. સ્ટાર બેટ્સમેન રિતુરાજ ગાયકવાડના બન્ને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને તે ફરીથી ટીમ સાથે જોડાઈ ગયો છે. રિતુરાજ ગાયકવાડને સીએસકી આ સીઝનમાં સુરેશ રૈનાના રિપ્લેસમેન્ટ તરીકે ઉપયોગ કરવા પર વિચાર કરી રહી છે. રિતુરાજ ગાયકવાડ દુબઈ પહોંચ્યા બાદ ટીમના 12 અન્ય સભ્યો સાથે કોરોના પોભિટિવ મળી આવ્યો હતો. કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ ગાયકવાડને ટીમ કેમ્પથી અલગ કરવામાં આવ્યો હતો અને ત્યારથી તે આઈસોલેશનમાં જ હતો. પરંતુ હવે 21 દિવસ બાદ રિતુરાજ ગાયકવાડના બન્ને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છેએટલું જ નહીં સીએસકેએ રિતુરાજની ટીમની સાથે ફરી જોડાવવા અને પ્રેક્ટિસ કરવાની તસવીર પણ શેર કરી છે.