સુશાંત ના મોત નું કોઈ ચોક્કસ કારણ નથી મળ્યું,એવામાં સુશાંત ના વકીલે દાવો કર્યો કે ગળું દબાવ્યું હોવાની વાત સાબિત,AIIMSએ કહ્યું- તપાસ હજી પૂરી થઈ નથી

સીએફએસએલ (સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબ)ના સૂત્રોના જણાવ્યા મુજબ સુશાંતના મોતમાં કોઈ ઠોસ પૃફ્ફ સામે આવ્યું નથી. બાન્દ્રા ફ્લેટમાં ક્રાઈમ દરસ્યો ના રિક્રિએશન પછી CFSLને જાણવા મળ્યું છે કે સુશાંતનું મોત ફાંસી લગાવવાથી થયું હતું. CFSLએ CBI ટીમને રિપોર્ટ આપી દીધો છે. જોકે, તેની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પણ ટૂંક સમયમાં કરાય તેમ માનવામાં આવે છે. રિપોર્ટમાં પાર્શિયલ હેંગિંગ એટલે કે પૂર્ણ ફાંસી કહેવામાં આવી નથી. એનો અર્થ એ થાય કે મૃતકના પગ સંપૂર્ણ પણે હવામાં ન હતા. એટલે કે તે જમીનને ટચ હતા અથવા બેડ કે સ્ટૂલ જેવી કોઈ વસ્તુ પર હતા. બાન્દ્રા સ્થિત ફ્લેટમાં ક્રાઈમ સીનના રિક્રિએશન અને પંખા સાથે લટકતા કપડાંની સ્ટ્રેંથ ટેસ્ટિંગ પછી CFSLએ આ રિપોર્ટ જારી કર્યો છે. સૂત્રોનું માનીએ તો CFSL વિશ્લેષણ રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે સુશાંતે બન્ને હાથનો ઉપયોગ કરીને ફાંસી લગાવી હશે. તેણે પોતાના જમણા હાથનો ઉપયોગ પોતાને લટકાવવા માટે કર્યો હતો. ગળામાં પડેલી લિગેચર માર્કની ગાંઠની સ્થિતિનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ છે. રાઈડ ડેન્ડર આવી રીતે ફાંસી લગાવી શકે છે. રિપોર્ટમાં એ પણ કહેવામા આવ્યું છે કે તેના રૂમમાંથી મળેલા કપડાંનો ઉપયોગ ફાંસી લગાવવા માટે કરાયો છે.સુશાંત 14 જૂનના રોજ પોતાના મુંબઈ રહેતા ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પહેલા કેસની તપાસ મુંબઈ પોલીસે કરી હતી પરંતુ પછી સુશાંતના પિતાએ બિહારમાં પોલીસ ફરિયાદ કરી હતી. તેમણે રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ મૂક્યા હતા. ત્યારપછી આ કેસની તપાસ CBI કરે છે. કેસમાં અત્યાર સુધી સુશાંતે આત્મહત્યા કરી કે હત્યા તે હજી સુધી કોયડો બની રહી ગયો છે