અ’વાદમાં લાખોની નકલી કરન્સી કેસમાં મોટો ખુલાસો, તાંત્રિક વિધીથી નકલી નોટોને અસલી બનાવવાનું હતું કાવતરૂ

અમદાવાદના સરખેજમા 7.34 લાખની નકલી નોટો કેસમાં SOGની તપાસમાં ખુલાસો થયો છે. આ નકલી નોટોને તાંત્રિક વિધીથી અસલી બનાવવા કાવતરૂ ઘડાયું હોવાનો ખુલાસો થયો છે. SOGએ આ કેસમા વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. પરંતુ મુખ્ય આરોપી હજી ફરાર છે. જેની પોલીસે તપાસ હાથ ધરી છે.