પાંડેસરાના બળાત્કાર અને તેની માતાના મર્ડર કેસમાં ઝડપાયેલા હર્ષસહાયની પત્ની નિવેદન આપવા ક્રાઇમ બ્રાંચમાં હાજર થઈ.
સુરતના પાંડેસરાના બાળકીના બળાત્કાર તથા તેની માતાના મર્ડર કેસમાં ઝડપાયેલા હર્ષસહાયની પત્ની આજે ક્રાઇમ બ્રાંચ સમક્ષ નિવેદન નોંધાવવા હાજર ન તથા ક્રાઇમ બ્રાંચે તેની પૂછતાછ હાથ ધરી હતી.ક્રાઇમ બ્રાંચે તેને 4 દિવસ પહેલા જાણ કરી હતી.પરંતુ તેનો પુત્ર બીમાર હતો એટલે હોસ્પિટલમાં દાખલ હોવાના કારણે ન આવી હતી. ક્રાઇમ બ્રાંચમાંથી મળતી માહિતી પ્રમાણે ખુબ ચકચારી આ પાંડેસરાના બાળકીના બળાત્કાર તથા તેની માતાના મર્ડર કેસમાં ઝડપાયેલા હર્ષસહાય ગુર્જરને સુરતની ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડીને પૂછતાછ કરતાં તેની પત્ની રમાદેવીને પણ આ બનાવની ઘણી હકીકતોની જાણ હતી તેવું સામે આવ્યું છે. તેથી ક્રાઇમ બ્રાંચે રમાદેવીને નિવેદન આપતા સુરત ક્રાઇમ બ્રાંચમાં હાજર રહેવા 4 દિવસ પહેલા જાણ કરી હતી. આજરોજ ક્રાઇમ બ્રાંચમાં નિવેદન નોંધાવતાં હાજર થતાં ક્રાઇમ બ્રાંચે તેની પૂછતાછ શરૂ કરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11: 00 ચાલુ છે.