સુરતમાં મોડી રાત્રે યુવાનની કરપીણ હત્યા
સુરતના લીંબાયતના શાહપુરમા એક યુવાનની મોડીરાત્રે હત્યા થઈ ગઈ હતી. જોકે મૃતક યુવાને થોડા દિવસ પહેલાજ લિંબાયત પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે મારી જાન પર ખતરો છે. તેમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી ત્યારે ગઇકાલે મોડી રાત્રે તે યુવાનની કરપીણ હત્યા થઈ હતી. જેથી પરિવાર તથા સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.હાલ તો પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે.
એક અઠવાડિયામાં ત્રીજી હત્યાની ઘટના બની હોવાથી પોલીસની કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા થયા છે. હાલ તો પોલીસે આ મામલે ગુનો નોંધી હત્યારાઓને પકડવા માટેની કામગીરી હાથ ધરી છે
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે..