અજરખપૂરમાં લાપતા થયેલા એક બાળકની લાશ અને એક બેભાન મળતા દોડદામ મચી -કોણે કર્યું આ કામ?
ભુજની પાસે પધ્ધર પાસે આવેલા અજરખપૂર ના બે માસૂમ બાળકો ૬ ઠી જૂન બુધવાર લાપતા થયા હતા. પરંતુ , લાપતા થયાના ૨૪ કલાક માજ એક ની લાશ અને એક બેભાન હાલતમાં મળતા પધ્ધર , અજરખપૂર અને આસપાસના ગામોમાં દોડદામ મચી ગઈ છે. પધ્ધર પોલીસે આ બાળકોને સાડા ત્રણ વર્ષના દાનિયાલ ઈસ્માઈલ ખત્રિ અને અઢી વર્ષની રૂબાબા આદમ ખત્રિ ને શોધવા માટે સોશ્યલ મીડિયા ની મમદ લીધી હતી . ન્યૂઝ ૪ કચ્છ વેબન્યૂઝ ઉપરાંત વ્યક્તિગત રીતે પણ અનેક લોકોએ આ લાપતા બંને બાળકો ક્યાય દેખાય અથવા જો મળી આવે તો પધ્ધર પોલીસ અથવા ભુજ પોલીસ કંટ્રોલરુમ ને જાણ કરવા માંગ કરી હતી . દરમ્યાન લાપતા થયેલા બાળક પૈકી દાનીયાલ ઈસ્માઈલ ખત્રિની મૃત હાલતમાં લાશ મળી આવી હતી. જ્યારે બાળકી રૂબાબા આદમ ખત્રિ બેભાન હાલત મળી આવી હતી . અજરખપૂર ગામની સીમમાં ઝાડીઓ વચ્ચે આ બંને બાળકો મળી આવેલ હતા. જોકે , મૃત બાળક દાનિયાલની લાશ ઉપર ઇજાઓના નિશાન ક્યાય જોવા ના મળતા તેના મોત અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ઇજાગ્રસ્ત બાળકી રુબાબા ને સારવાર માટે ભુજની વાયેબલ હોસ્પિટલમાં દાખલ કરવા માં આવી છે. આ ઘટના દરમ્યાન પગલે ડીવાયએસપી પટેલ અને પધ્ધર પોલીસનો કાફલો અજરખપૂર સીમમાં તપાસ માટે પહોચી ગયો. આ કામ કોને કર્યું ? એ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે .
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.