મુન્દ્રા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં પાલારા ખાસ જેલ, ભુજમાંથી વચગાળાના જામીન પરથી ફરાર કેદી/આરોપીને ગાંધીધામ ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, પશ્ચિમ કચ્છ ભુજ   

પોલીસ મહાનિરીક્ષકશ્રી સી.આ.ડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા ગાંધીનગર નાઓ દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ રાખેલ હોઈ જે અનુસંધાને બોર્ડર રેન્જ આઈ.જી.પી. શ્રી જે.આર. મોથલીયા સાહેબ ભુજ પોલીસ અધિક્ષકશ્રી સૌરંભસિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ- ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી એચ. એમ. ગોહિલના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડ, ભુજના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા. પેરોલ ફર્લો સ્કોડના માણસો પુર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં ખાસ ઝુંબેશ અનુસંધાને પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, પાલારા ખાસ જેલ ભુજમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયેલ કેદી/આરોપી પુરનસિંગ કરમસિંગ મજબીશીખ ઉ.વ 28 રહે. રેલ્વે ફાટકની નીચે ટ્રાન્સપોર્ટ નગર ગાંધીધામ વાળો ટ્રાન્સપોર્ટ નગર ગાંધીધામ બાતમી વાળી જગ્યાએ હાજર મળી આવતા જેની પુછપરછ કરતાં જણાવેલ કે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનવ્યે કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાને રાખી જેલમાં કેદીઓની સંખ્યા ઘટાડવા માટે આપવામાં આવેલ ડાયરેકશન મુજબ વચગાળાના જામીન રજા ઉપર મુક્ત કરવામાં આવેલ અને મુદત પુરી થયેલ હોવા છતાં પોતે ભુજ પાલારા જેલ ખાતે હાજર થયેલ ન હોવાની કબુલાત કરતો હોઈ જેને ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે પાલારા ખાસ જેલ ભુજ ખાતે બારોબાર સુપ્રત કરવામાં આવેલ છે. ઉપરોક્ત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડના પો.સબ. ઇન્સ એચ.એમ. ગોહિલ, એ.એસ. આઈ હરિલાલ બારોટ તથા પો.હેડ. કોન્સ, ધરેન્દ્ર રાવલ તથા દિનેશભાઇ ગઢવી તથા રઘુવીરસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ પરમાર તથા ડ્રા.એ. એસ.આઈ કીર્તિસિંહ જાડેજા નાઓ જોડાયેલ હતા.