વાણિયાવાડમાં શાકભાજીવાળાનો કચરો અને ફળ વેચનારાઓને અપાઈ નોટિસ

ભુજમાં નવી શાક માર્કેટથી છેક છઠ્ઠી બારી વિસ્તાર સુધી જાહેર માર્ગ ઉપર પાથરણા પાથરી અને હાથલારી ઉપર શાકભાજી અને ફળ વેચનારાઓનો પડાવ હોય છે, જેમાં ભુજ નગરપાલિકાએ શુક્રવારે સવારે ફળ વેચનારાને કચરો કરવા બદલ નોટિસ આપી હતી. પરંતુ, શેરી ફેરિયા સંગઠનનો આક્ષેપ છે કે, શાકભાજીવાળાએ કચરો કર્યો હતો. આમ, ખોટી વ્યક્તિને નોટિસ અપાઈ છે.