ભુજમાં તાળું તોડીને બેકરીમાથી યંત્રો સહિત ૪૪ હજારના માલની લૂટ.

ભુજ, તા. ૧૨ : શહેરમાં સંજયનગરી વિસ્તારમાં કાર્યરત સહિદ બેકરીના તાળાં તોડીને તેમાથી યંત્રો સહિત રૂ. ૪૪ હજારની માલમતા તફડાવી જવાઈ હોવાનો બનાવ પોલીસ દફતરે નોધાયો છે. આ બાબતે ભુજના જ ત્રણ શખ્સ સામે નામજોગ ગુનો દાખલ કરાવાયો છે. તો આ જ પ્રકરણમાં બેકરીના માલિકના ભત્રીજા સમીર અબ્દુલ માંજોઠી (ઉ.વ. ૧૭ )ઉપર બે શખ્સોએ હુમલો કરી તેને માર માર્યો હતો. પોલીસ દફતરે મળેલ માહિતી મુજબ ગત. તા. ૩૦મીની રાત્રિ દરમ્યાન સંજયનગરીમાં સાહિદ બેકરીમાથી ચોરીની ઘટના બની હતી. આ બનાવ તાળું તોડીને લોટ બાંધવાના બે યંત્ર ,પાણી ખેચવાની મોટર, ત્રણ પેટી અને રૂ. ૨૦૦૦ /-રોકડા મળી કુલ રૂ. ૪૩૫૦૦ /-ની માલમતા ઉઠાવી જવાઈ હતી. ચોરી મામલે શહેરના રાજેન્દ્ર નગર પછવાડે અક્ષયાનગર કેમ્પ વિસ્તરમાં રહેતા હુશેન ભચું માંજોઠીએ ભુજના એઝાઝ અલીમામદ બાફણ, ભોલો વાગડિયો અને મૈસીન ગની પારા સામે ફરિયાદ લખાવી હતી. દરમ્યાન આ જ બનાવના અનુસંધાને બેકરીના માલિકના ભત્રીજા સમીર અબ્દુલ ઉપર ગઈ કાલે સંધ્યા સમયે ચોરીના ત્રણ શખ્સો પૈકીના મોહસીન પારા અને ભોલો વાગડિયાએ હુમલો કરી તેને માર માર્યો હતો. સમીર બેકરીને તાળું મારવા ગયો ત્યારે આ ઘટના બની હતી. સમીરને સારવાર માટે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ચોરી બાબતે ગુનો દાખલ કર્યો હતો. સહાયક ફોજદાર જયદીપસિંહ ઝાલાએ કેસની તપાસ હાથ ધરી છે. શખ્સો હાથ વેતમાં હોવાનો નિર્દેશ મળ્યો હતો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *